Monday, March 28, 2016

RSS-MORBI TALUKA TEAM


(1) Saririk Pramukh               Hirenbhai Vidja

(2) Baudhik Pramukh           Sureshbhai Deshmukh

(3) Sampark Pramukh      Kishandasji

(4) Vyavastha Pramukh Umeshbhai Merja

(5) Collegen Pramukh Milanbhai Merja
      Sah-Collegen Pramukh    Sivsagarbhai Patel

(6) Seva Pramukh                  Bakulbhai Kavar

(7) Dharm-jagran Pramukh Vasubhai Jethloja

(8) Gau-seva Pramukh Kishorbhai Moradiya

(9) Gram-vikas Pramukh Manojbhai Kavar

(10) Prachar-pasar Pramukh   Chandrkantbhai Jethloja

(11) Marg Sanyojak           Narendrabhai Dasadiya

(12) Pravasi Karykarta Tarunbhai Aary
                                                Harikrushnbhai Bhatt
                          Vivekbhai 

(13) Karyvah                         Nileshbhai Sadariya
       Sah-Karyvah                   Maheshbhai Bopaliya

Wednesday, September 10, 2014

Some Interesting Facts about India

  • India never invaded any country in her last 100000 years of history.
  • When many cultures were only nomadic forest dwellers over 5000 years ago, Indians established Harappan culture in Sindhu Valley (Indus Valley Civilization)
  • The name 'India' is derived from the River Indus, the valleys around which were the home of the early settlers. The Aryan worshippers referred to the river Indus as the Sindhu.
  • The Persian invaders converted it into Hindu. The name 'Hindustan' combines Sindhu and Hindu and thus refers to the land of the Hindus.
  • Chess was invented in India.
  • Algebra, Trigonometry and Calculus are studies, which originated in India.
  • The 'Place Value System' and the 'Decimal System' were developed in India in 100 B.C.
  • The World's First Granite Temple is the Brihadeswara Temple at Tanjavur, Tamil Nadu. The shikhara of the temple is made from a single 80-tonne piece of granite. This magnificent temple was built in just five years, (between 1004 AD and 1009 AD) during the reign of Rajaraja Chola.
  • India is the largest democracy in the world, the 7th largest Country in the world, and one of the most ancient civilizations.
  • The game of Snakes & Ladders was created by the 13th century poet saint Gyandev. It was originally called 'Mokshapat'. The ladders in the game represented virtues and the snakes indicated vices. The game was played with cowrie shells and dices. In time, the game underwent several modifications, but its meaning remained the same, i.e. good deeds take people to heaven and evil to a cycle of re-births.
  • The world's highest cricket ground is in Chail, Himachal Pradesh. Built in 1893 after leveling a hilltop, this cricket pitch is 2444 meters above sea level.
  • India has the largest number of Post Offices in the world.
  • The largest employer in India is the Indian Railways, employing over a million people.
  • The world's first university was established in Takshila in 700 BC. More than 10,500 students from all over the world studied more than 60 subjects. The University of Nalanda built in the 4th century was one of the greatest achievements of ancient India in the field of education.
  • Ayurveda is the earliest school of medicine known to mankind. The Father of Medicine, Charaka, consolidated Ayurveda 2500 years ago.
  • India was one of the richest countries till the time of British rule in the early 17th Century. Christopher Columbus, attracted by India's wealth, had come looking for a sea route to India when he discovered America by mistake.
  • The Art of Navigation & Navigating was born in the river Sindh over 6000 years ago. The very word Navigation is derived from the Sanskrit word 'NAVGATIH'. The word navy is also derived from the Sanskrit word 'Nou'.
  • Bhaskaracharya rightly calculated the time taken by the earth to orbit the Sun hundreds of years before the astronomer Smart. According to his calculation, the time taken by the Earth to orbit the Sun was 365.258756484 days.
  • The value of "pi" was first calculated by the Indian Mathematician Budhayana, and he explained the concept of what is known as the Pythagorean Theorem. He discovered this in the 6th century, long before the European mathematicians.
  • Algebra, Trigonometry and Calculus also originated in India.Quadratic Equations were used by Sridharacharya in the 11th century. The largest numbers the Greeks and the Romans used were 106 whereas Hindus used numbers as big as 10*53 (i.e. 10 to the power of 53) with specific names as early as 5000 B.C.during the Vedic period.Even today, the largest used number is Terra: 10*12(10 to the power of 12).
  • Until 1896, India was the only source of diamonds in the world
    (Source: Gemological Institute of America).
  • The Baily Bridge is the highest bridge in the world. It is located in the Ladakh valley between the Dras and Suru rivers in the Himalayan mountains. It was built by the Indian Army in August 1982.
  • Sushruta is regarded as the Father of Surgery. Over2600 years ago Sushrata & his team conducted complicated surgeries like cataract, artificial limbs, cesareans, fractures, urinary stones, plastic surgery and brain surgeries.
  • Usage of anaesthesia was well known in ancient Indian medicine. Detailed knowledge of anatomy, embryology, digestion, metabolism,physiology, etiology, genetics and immunity is also found in many ancient Indian texts.
  • India exports software to 90 countries.
  • The four religions born in India - Hinduism, Buddhism, Jainism, and Sikhism, are followed by 25% of the world's population.
  • Jainism and Buddhism were founded in India in 600 B.C. and 500 B.C. respectively.
  • Islam is India's and the world's second largest religion.
  • There are 300,000 active mosques in India, more than in any other country, including the Muslim world.
  • The oldest European church and synagogue in India are in the city of Cochin. They were built in 1503 and 1568 respectively.
  • Jews and Christians have lived continuously in India since 200 B.C. and 52 A.D. respectively
  • The largest religious building in the world is Angkor Wat, a Hindu Temple in Cambodia built at the end of the 11th century.
  • The Vishnu Temple in the city of Tirupathi built in the 10th century, is the world's largest religious pilgrimage destination. Larger than either Rome or Mecca, an average of 30,000 visitors donate $6 million (US) to the temple everyday.
  • Sikhism originated in the Holy city of Amritsar in Punjab. Famous for housing the Golden Temple, the city was founded in 1577.
  • Varanasi, also known as Benaras, was called "the Ancient City" when Lord Buddha visited it in 500 B.C., and is the oldest, continuously inhabited city in the world today.
  • India provides safety for more than 300,000 refugees originally from Sri Lanka, Tibet, Bhutan, Afghanistan and Bangladesh, who escaped to flee religious and political persecution.
  • His Holiness, the Dalai Lama, the exiled spiritual leader of Tibetan Buddhists, runs his government in exile from Dharmashala in northern India.
  • Martial Arts were first created in India, and later spread to Asia by Buddhist missionaries.
  • Yoga has its origins in India and has existed for over 5,000 years.




પાટીદારોનો ઉદભવ અને વિકાસ

ગુજરાતના પાટીદારો આર્યકુળના વંશજ છે. એક સંશોધન પ્રમાણે આર્યપ્રજા મધ્ય એશિયામાં વસ્તી હતી, કાળાંતરે આ આર્યપ્રજા જુદી-જુદી ટુકડીઓમાં મૂળ સ્થાનથી સ્થળાંતર કરે છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ આસપાસ પ્રથમ ટુકડી યુરોપ તરફ રવાના થઇ. બીજી ટુકડી ઈરાન તરફ અને ત્રીજી ટુકડી અફઘાનિસ્તાન થઇ પંજાબમાં આવી હતી. ઇતિહાસવિદ્ પુરુષોત્તમ પરીખ લખે છે તેમ હિન્દનો અસલ ચિતાર જાણવા માટે આપણી પાસે આધારભૂત ગ્રંથો-વેદો હતા. આપણો પ્રથમ વેદ ઋગ્વેદ ઈ.સ. પૂર્વે ૧૨૦૦ માં લખાયો છે. ‘ભરતખંડ’ – ભારતદેશની સીમાઓ ઉત્તર દિશામાં આજના હિમાલયના બદલે મધ્ય એશિયા સુધી વિસ્તરેલી હશે અને પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હોવા સંભવ છે. ઋગ્વેદના મંત્રો ઉપરથી જણાય છે કે, આર્યોએ અફઘાનિસ્તાનના પ્રદેશમાં પ્રાચીન કુંભા (કાબુલ) નદી પાસે ઘણા લાંબા કાલ સુધી શાંતિપૂર્વક નિવાસ કર્યો છે. તદઉપરાંત તે સમયે અને તે જ સ્થાનેથી વેદના મંત્રોની લેખનશૈલી શરૂ થયેલી માનવામાં આવે છે જેમાં વેદમાંની કેટલીક ઋચાઓમાં કુંભા (કબુલા) કુમુ(કુરમ) અને ગોમતી (ગોમલ) નદીઓ વિશેના ઉલ્લેખો સાંપડે છે, (આ નદીઓ અફઘાનિસ્તાનમાં આવેલી છે) ત્યારબાદ તેઓ તે પ્રદેશથી આગળ વધી પશ્ચિમમાં પંજાબ તરફ ફેલાવા લાગ્યા. જેમાં સિંધુ નદી, સતદ્ર (સતલજ), પીપાસા (બીઆસ), પુરુષર્ણ (ઈરાવતી-રાવી), અસીકી કે ચંદ્રભાગા (ચિનાબ) અને વીતરતા (જેલમ) વગેરે નદીઓના વર્ણનો આલેખા છે.
ઋગ્વેદના અભ્યાસીઓ લખે છે કે, આર્યપ્રજા અફઘાનિસ્તાનથી ખૈબરઘાટના રસ્તે પંજાબમાં આવી વસે છે. ત્યાં ક્રમે-ક્રમે પૂર્વ તરફ ગંગા-જમનાના રસાળ પ્રદેશમાં બિહાર તથા બંગાળ સુધી વિસ્તરી. આર્યપ્રજા પંજાબમાં વસ્તી ત્યારે ઈ.સ. પૂર્વે ૨૫૦૦ આસપાસ ચાર વર્ણમાં વહેંચાયેલી હતી. ૧) બ્રાહ્મણ ૨) ક્ષત્રિય ૩) વૈશ્ય ૪) શુદ્ર
આ વર્ણવ્યવસ્થામાં ક્ષત્રિયોના ત્રણ પેટા વિભાગો હતા.
૧. રાજાન:- જેઓ નાની-નાની ટોળકીઓના આગેવાન હતા અને તે પોતાને રાજા કહેવડાવતા અને નાના ગામડાઓનું રક્ષણ કરતા.
૨. ક્ષત્રિય:- જેઓ યુદ્ધના સમયે બારેમાસ લડવાનું કામ કરતા અને રાજાઓન મદદ કરતા.
૩. કૂર્મી ક્ષત્રિય:- જેઓ શાંતિના સમયમાં સપ્તસિંધુના ફળદ્રુપ પ્રદેશમાં ખેતી કરતા અને બહારના આક્રમણ સમયે યુદ્ધમાં રાજાને લડાઈમાં મદદ કરતા.
આ ત્રીજા વિભાગના કૂર્મીઓમાંથી કણબી પાટીદારોનો ઉદભવ થયો હોવાનું પ્રમાણ વધુ દ્રઢ બને છે કારણ કે આ ત્રીજા વિભાગના કૂર્મીઓ ફળદ્રુપ પ્રદેશોની શોધમાં અને સુખ-શાંતિથી જીવન વિતાવવામાં માનનારા હતા.
કૂર્મી શબ્દનો અર્થ -
સંસ્કૃત શબ્દ કોશ મુજબ કૂર્મી શબ્દનો અર્થ નીચે મુજબ છે….
कूर्म भू : = પૃથ્વી , अस्यास्तीति कूर्म = ભૂપતિ, પૃથ્વીપતિ, અર્થાત જેની પાસે જમીન – ભૂમિ હોય તે કણબી.
कूर्म = वीर्यम् = रसम् = શક્તિ अस्यास्तीति कूर्म = વીર્યવાન, શકિતવાન માણસ.
મહાભારતના આદિપર્વ પ્રમાણે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી થઇ. બ્રહ્માજીના દસ માનસપુત્રો પૈકી છ ઋષીઓ હતા. આ છ ઋષીઓ પૈકી એક “કાશ્યપ” ઋષિ હતા. “કાશ્યપે” બધી પ્રજા ઉત્પન્ન કરી એટલે પાટીદારોનું ગૌત્ર પણ કશ્યપ જ છે. કૂર્મી અને કાશ્યપ એક જ શક્તિ અને વ્યક્તિના નામ છે.
અર્થાત્ કૂર્મ-કશ્યપ માનવજાતિના આદિપુરુષ હતા. કૂર્મનો શાબ્દિક અર્થ, ‘કાર્યશીલ’ અને કશ્યપ નો શાબ્દિક અર્થ ‘દ્રષ્ટા’ છે. કાર્યશીલતા અને દૂરદર્શિતાના બળ પર પરમાત્માએ સૃષ્ટિની રચના કરી એટલા માટે તેમને કુર્મી અને કશ્યપ કહેવામાં આવે છે. શતપથ બ્રાહ્મણગ્રંથમાં પણ કહ્યું છે કે, ‘આ સૃષ્ટી કર્તાનું નામ કૂર્મ છે.’ સૃષ્ટી અને પ્રજાનું પાલન કરતા હોવાથી તેને પ્રજાપતિ તરીકે ઓળખવામાં આવે છે. – તેનાથી ઉત્પન્ન થયેલી પ્રજા કૂર્મ કે કૂર્મી તરીકે ઓળખાઈ.
કૂર્મી – કણબીઓના બે ભાગ -
આગળ આપણે જોઈ ગયા તે મુજબ કૂર્મીપ્રજા અફઘાનિસ્તાન થઈ પંજાબમાં પ્રવેશે છે અને ત્યાં જુદાં-જુદાં વિસ્તારોમાં ફેલાય છે. ઈ.સ.પૂર્વે ૨૦૦૦ની આસપાસ આ કૂર્મીઓ પંજાબના ‘ગુજરાવાલા’ પ્રાંતના ‘કરડ’ અથવા ‘કરડવા’ અને ‘લેયા’ વિસ્તારમાં વિસ્તરે છે.
(સમજુતિ:- કૂર્મીઓ ઈ.સ.પૂર્વે ૨૦૦૦ ની આસપાસમાં પંજાબના ‘ગુજરાવાલા’ પ્રાંતના ‘કરડવા’ અને ‘લેયા’-પ્રદેશમાં વિસ્તરે છે. આ વિસ્તાર એટલે હાલ પાકિસ્તાનનો લાહોરથી પૂર્વદિશાનો વિસ્તાર. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પંજાબનો અડધાથી વધારે વિસ્તાર પાકિસ્તાનમાં ચાલ્યો ગયો એ વિસ્તારમાં આજે પણ ‘ગુજરાવાલા’ અને ‘ગુજરાત’ – નામે જીલ્લાઓ અસ્તિત્વમાં છે. અને ઉપર નોંધ્યા મુજબ ‘ભરતખંડ’ નો વિસ્તાર પશ્ચિમ દિશામાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલો હતો. જેમાં પાકિસ્તાન અને ભારત સહિતનો સમાવેશ થઇ જાય છે.)
આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે થોડીક પ્રાચીન ભૂમિકાનું અનુસંધાન જોઈએ શ્રી રામચંદ્રજીના સંતાન ‘લવ’ એ ‘લવપુર’ (હાલનું લાહોર) વસાવેલું અને ‘કુશ’ એ ‘કુશાવતી’(હાલનું પટ્ટણા) નગર વસાવેલું, એજ અરસામાં લક્ષ્મણે ‘લક્ષ્મણાવતી’ (હાલનું લખનઉ) નગર વસાવેલું – ભૌગોલિક રીતે આ શહેરો પર દૃષ્ટિપાત કરતા સમજાય છે કે ‘લાહોર’ પાકિસ્તાન, ‘પટ્ટણા’ બિહાર અને ‘લખનઉ’ ઉત્તરપ્રદેશ નો ભાગ છે. ઉપર નોંધ્યા મુજબ કુર્મીઓ બિહાર અને બંગાળ સુધી વિસ્તરેલા અને આ કૂર્મી કે કણબીઓ ‘લવપુર’(લાહોર) અને ‘કુશાવતી’(પટ્ટણા)માં ઘણો લાંબો સમય સુધી સુખરૂપ જીવન વીતાવેલું તેથી એક ખોટી માન્યતા જન્મી કે ‘લવ’ પરથી ‘લેઉવા’ અને ‘કુશ’ પરથી ‘કડવા’ – પાટીદારોની ઉત્પત્તિ થઇ. આ માન્યતા તદ્દન ખોટી પુરવાર થઇ છે.
તો પછી પશ્ન એ થાય કે, ‘લેવા’ અને ‘કડવા’ પાટીદારો એવા બે વિભાગ કેવી રીતે પડ્યા? આ વખતે સમજવા માટે થોડા પાછળ જઈએ તો ઉપર નોંધ્યા મુજબ પંજાબ (હાલ ના પાકિસ્તાન)માં આવેલા ‘ગુજરાવાલા’ પ્રાંત માં ‘કરડા’ કે ‘કરડવા’ અને ‘લેયા’ – એવા બે વિસ્તારોમાંથી કણબીઓ હાલના ગુજરાતમાં આવેલા. એટલે કે ‘કરડા કે કરડવા’ પ્રદેશમાંથી આવેલા કણબીઓ ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખવા લાગ્યા અને ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કણબીઓ ‘લેઉઆ કે લેવા પાટીદારો’ તરીકે ઓળખાયા.
કણબીઓ ચરોતર અને મહારાષ્ટ્રમાં ખાનદેશ સુધી -
ઉપરોક્ત ચર્ચાથી આપણે મૂળ કૂર્મીઓના ઉદભવ તથા કૂર્મી માંથી કણબી કેવી રીતે થયા એ હકીકત સ્પષ્ટ થાય થાય છે.
ઈ.સ. પૂર્વે ૬૦૦ આસપાસ ઈરાનનો એલેમેનિયન વંશનો સ્થાપક ડાયરસ પંજાબ પર ચઢાઈ કરી ઘણું ધન લૂંટી ગયો. ઘણા લશ્કરી સિપાઈઓને ગુલામ બનાવી ઈરાન બનાવી ગયો. ઈ.સ. પૂર્વે ૩૨૬ આસપાસ ગ્રીસમાંથી સિકંદરે આવી પંજાબ પર ચઢાઈ કરી. ઈ.સ.પૂર્વે ૩૦૦ માં બલ્ક (બાકટ્ટીયા)ના લોકોએ પંજાબ પર ચઢાઈ કરી. અને છેલ્લે ‘તાતાર’ ‘હૂણ’ અને ‘શક’ પ્રજાએ પંજાબ પર આક્રમણો કર્યા- આ ઐતિહાસિક ક્રમ એટલા માટે જણાવું છું કે કુર્મી પ્રજાને આ આક્રમણોથી બચવા પંજાબ વિસ્તાર છોડવો પડ્યો. એટલે કે ઈ.સ.પૂર્વે ૬૦૦ થી ઈ.સ. ૨૦૦ ના ગાળામાં જુદાં-જુદાં સમયે અને જુદી-જુદી ટોળીઓમાં કૂર્મીઓ ગુજરાતમાં પ્રવેશે છે. તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત(વડનગર)પ્રદેશ સુધી પહોંચે છે. ત્યાંથી તેઓ ઊંંઝા, સિદ્ધપુર, પાટણ વગેરે વિસ્તારોમાં ફેલાયા. આ કૂર્મીઓ મોટેભાગે ‘કરડ-કરડવા’ વિસ્તારમાંથી આવેલા કડવા પાટીદારો તરીકે ઓળખાયેલા કણબીઓ હતા.
જયારે ‘લેયા’ પ્રાંતમાંથી નીકળેલા કૂર્મીઓ (લેઉઆ પાટીદારો) અજમેર, મારવાડ, જયપુર, ભિન્નમાલ, અડાલજ સુધી પહોંચે છે. અહી તેમની વસતી વધતા તેઓ ત્યાંથી દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે ને, ‘ચરોતર’, ‘ભાલ’ ‘વાકળ’ અને ‘કાનમ’, ‘કઠલાલ’, ‘કપડવંજ’ તથા ચાંપાનેર(પાવાગઢ) સુધી વિસ્તરે છે અને ત્યાંથી ગુજરાતના ગામડે ગામડે ફેલાયા. ચરોતરમાંથી નીકળી કેટલાક લેઉઆ પાટીદારો વડોદરા ભરૂચ, સુરત, વલસાડ સુધી પહોંચે છે. જેમાંથી કેટલાક સલામત અને ફળદ્રુપ ભૂમિની શોધમાં કે અન્ય કારણોસર (વહીવંચા બારોટના (ભાટ)ના ચોપડા મુજબ વડોદરાના ગાયકવાડ દ્વારા નિઝર પ્રાંતનું કારભારું સોંપવાથી પ્રથમ નિઝર અને ત્યાંથી પણ આગળ પૂર્વ-પશ્ચિમ ખાનદેશ, વિદર્ભ આદિ વિસ્તારો સુધી વિસ્તર્યા હોવાનું જાણવા મળે છે.) નિઝર અને તેથી પણ આગળ પૂર્વ-પશ્ચિમ ખાનદેશ અને વિદર્ભ સુધી પહોંચ્યા.
પરંતુ વહીવંચા બારોટ(ભાટ)ના ચોપડાઓને અંતિમ સત્ય માની શકાય એમ નથી કારણકે વહીવંચાઓના ચોપડાઓ ઈ.સ.૧૩૦૦ પછી લખવાના શરૂ થયા જયારે લેઉઆ પાટીદારો ચરોતરમાં પ્રવેશે છે તે સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૦૦ આસપાસનો છે. ત્યાં તેઓ થોડો સમય રહ્યા પછી નિઝર તરફ સ્થળાંતર કર્યું હોય, તો તેમના ચરોતરમાંથી નિઝર તરફ સ્થળાંતરનો સમયગાળો લગભગ ઈ.સ.ના પ્રારંભ (ઈ.સ.૦૧ થઈ ૦૫) પછી કર્યું હોય તો વહીવંચાઓના ચોપડામાં નોંધાયેલી વિગતો સાથે આ બાબત બંધબેસતી નથી.
પટેલ અને પાટીદાર શબ્દની યુત્પત્તિ -
આગળ ચર્ચા કરી તે મુજબ કૂર્મી પ્રજા એટલે લેઉઆ અને કડવા પાટીદારો મૂળ કૂર્મીપ્રજા (કાશ્યપ કુળ)માંથી ઉત્પન્ન થયેલા અને કૂર્મીમાંથી કણબી થયા. હવે આ આ કણબીમાંથી પાટીદાર કે પટેલ તરીકે કેવી રીતે ઓળખાયા તે જોઈએ. મંગુભાઈ પટેલ તથા દેવેન્દ્ર પટેલ લખે છે તેમ ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે થઇ. મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં ખેડા જિલ્લાના પીંપળાવ ગામના વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેમનો મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સબંધ હતો, તેમને ધોલકા, માનાર અને પેટલાદ તાલુકાનું મહેસુલ ઉઘરાવાનો ઈજારો મળ્યો હતો. તેમને સંવત ૧૭૩૯(ઈ.સ.૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો (સમાજ ભેગો થયો) યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહજાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું અને બાદશાહના દફતરમાં કણબી ને બદલે “પાટીદાર” શબ્દ દાખલ કરાવ્યો.
પાટીદાર શબ્દ નો અર્થ નીચે મુજબ છે :-
પાટીદાર= પત્તિદાર = પટ્ટાદાર = જમીનદાર
પાટી = જમીનદાર હોવું = પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે. અર્થાત પાટીદારનો અર્થ જમીન ધારક એવો થાય છે.
પાટી = જમીન, દાર = ધરણ કરનાર- પાટી એ મૂળ સંસ્કૃતમાંથી ઉતરી આવેલો અપભ્રંશ શબ્દ છે. ‘દાર’ એ ‘ઈરાની’ ભાષાના ‘દાસ્તન’ શબ્દ પરથી બનેલો શબ્દ છે. ‘દાર’ એટલે ધારણ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૂપ છે.
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ.૧૪૧૨ થી ૧૫૭૩ આસપાસ) ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખીઓની નિમણૂંકો થતી જેમાં પાટીદારોની નિમણૂંક થતી. ‘મુખી’ એટલે ‘મુખત્યાર’, ‘નેતા’,કે ‘આગેવાન’(જેના પરથી કુલમુખત્યાર શબ્દ આવ્યો.) ‘મુખી’ માટે માનવાચક શબ્દ; પટલિક, અક્ષપટલિક કે, અક્ષપટલ – જેવા શબ્દો હતા.જેનો અપભ્રંશ થતાં ‘પટેલ’ શબ્દ અસિતત્વમાં આવ્યો. ધીરે ધીરે પાટીદારોની અટક બની ગયો. ઈ.સ.૧૪૦૦ પછી કણબીઓ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા.
કણબી , પાટીદાર, ગુર્જરો
આ મુદ્દો ઘણો મહત્વનો છે, સાથો સાથ ઘણો અગત્યનો પણ છે. આજે ‘નિઝર, નંદુરબાર, શાહદા, ધુલિયા, ખેતીયા, સેદવા (મધ્યપ્રદેશ) સુધીના કેટલાક ભાગોમાં વસતા પાટીદારો (કણબીઓ કે લેઉઆ પાટીદારો) ની અટક પાટીલ, ચોધરી વગેરે છે. પરંતુ તેઓ પોતાની ઓળખ ગુજર કે ગુર્જર પાટીદાર તરીકે કરાવે છે. ખરેખર ગુજર – જેવો કોઈ શબ્દ જ પાટીદારો માટે ક્યાંય વપરાયો નથી. પરંતુ પ્રાચીન સમયમાં તે મુજબ પંજાબ (હાલના પાકિસ્તાનનો ભાગ) માં ‘લેયા’ પ્રાંતમાં કૂર્મી પ્રજા તરીકે વિખ્યાત હતા. (જે તે સમયે ત્યાંથી સ્થળાંતર થઈ ગુજરાતમાં ઊંંઝા, પાટણ, સિદ્ધપુર આદિ સ્થળોએ વસવાટ કરે છે અને સમયાંતરે ત્યાંથી ચરોતર અને ત્યાંથી પણ આગળ નિઝર, નંદુરબાર, શાહદા, ધુલિયા, ખાનદેશ વગેરે વિસ્તારો સુધી ફેલાયા) તે બન્ને ‘કરડા’ અને ‘લેયા’ પ્રાંત ‘ગુજરાવાલા’ વિસ્તારના છે. આજે પણ પંજાબ (પાકિસ્તાનનો ભાગ) માં ‘ગુજરાવાલા’ અને ‘ગુજરાત’ – નામે જિલ્લાઓ અસ્તિતત્વમાં છે. મારા સંશોધનના આધારે કહી શકાય કે આ ‘ગુજરાવાલા’ પ્રાંતમાંથી સ્થળાંતરીત થયેલા ‘કણબીઓ’ – ‘ગુર્જરો’ કહેવાયા હોય, કેમ કે કણબીઓ માટે અનેક સ્થાને ‘ગુર્જરો’ – શબ્દ પ્રયોગ થયો છે અને પ્રસિદ્ધ પણ થયો છે. શક્ય છે કે,આ લેઉઆ કણબી પાટીદારો એ પ્રાંતમાંથી આવ્યા એટલે અસલ વતનની સાખ (ઓળખ) જાળવી રાખવા ‘ગુર્જર’ શબ્દ (જ્ઞાતિ માટે) નો પ્રયોગ ચાલુ રહ્યો હોય અને કાળક્રમે ‘ગુર્જર’ શબ્દનો અપભ્રંશ થતાં “ગુજર” – અસ્તિતત્વમાં આવ્યો હોય કેમ કે, ‘ગુર્જર’ – મૂળ સંસ્કૃત શબ્દ છે તેની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ છે….. गुर्जर – गुज्जर – गुजर – આ વાતનું સમર્થન કરે તેવા ધણા પુરાવાઓ મળે છે. જુઓ…
1. “The Main Gurjar Underlayer are the levas and kar dvas, the two leading divisions of important class of Gujarat kunbis.” અર્થાત “ ગુજરાતમાં આવી વસેલા ગુર્જરોનો મુખ્ય ભાગ ‘કડવા’ અને ‘લેઉઆ’છે, જેઓ ગુજરાતની કણબી જાતિના બે મહત્વના આગેવાન વિભાગ છે.” (બોમ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર વો.૧ ભાગ -૧ પાના નં. ૦૪)
2. “That the Gujarat kunbis are gujjars is supported by the similarity between the share hold tenures in panjab gurgar villages and the bhagdar and narcoadav tenures in kunbivillge in kaira.” અર્થાત “પંજાબમાં ગુર્જર ગામડામાં ચાલતી ભાગીદારી પદ્ધતિ અને ખેડામાં ચાલતી ભાગીદારી અને નરવા પદ્ધતિ વચ્ચે સામ્ય, ગુજરાતના કણબી ગુજ્જર છે એ વાતને પૃષ્ટિ આપે છે.” (બોમ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર ભાગ -૧ પાના નં.૯, ૪૯૧)
૩. “ઈ.સ.પૂર્વે ૭૮ ની આસપાસ ‘ગુજરાવાલા’ પ્રદેશના ‘ગુર્જરો’ની એક મોટી વસ્તીએ દેશ છોડ્યો અને મથુરા સુધી ફેલાયા ત્યાંથી ક્રમે ક્રમે આનર્ત (વડનગર) સુધી આવ્યા. (બોબ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર વો.૧)
ઉપર ના આધારોથી એમ સમજાય છે કે, ‘કણબીઓ’ ‘પાટીદારો’ અને ‘ગુર્જરો’ એક જ જાતિ માટે વપરાયેલ સંજ્ઞા (શબ્દ) છે. એ અર્થમાં જોઈએ તો ‘ગુજર’ – જેવો કોઈ શબ્દ કે જાતિ (જ્ઞાતિ) છે જ નહીં. આ વાત ઉપરથી એટલું અવશ્ય સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત વિસ્તારોમાં (નિઝર, નંદુરબાર, ધુલિયા વગેરે) રહેતી પ્રજા ‘હિંદુ લેઉઆ પાટીદારો’ છે. અને‘ગુજરાવાલા’ (પંજાબ) પ્રાંતમાંથી વિવિધ સ્થળે સ્થળાંતરીત થઈને આવી છે માટે પોતાની મૂળ સાખ (ઓળખ) જાળવવા માટે ‘ગુર્જર’ (હિંદુ લેઉઆ ગુર્જર પાટીદારો) શબ્દનો પ્રયોગ થતો રહ્યો છે.
કૂર્મી-કણબી-પાટીદારો વિવિધ રાજ્યોમાં -
કૂર્મીઓ ભારત વર્ષમાં ફેલાયેલા છે,પરંતુ પ્રત્યેક પ્રાંત પ્રમાણે તેમની ભાષા-બોલ ચાલની રીત- રિવાજોમાં થોડા ઘણા અંશે ફેરફારો થયા છે. તથા તેમની ‘અટકો’ માં જુદાપણું છે પરંતુ તેઓ મૂળ તો કુર્મી-કણબીઓ જ છે. મહારાષ્ટ્રમાં મરાઠા સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ પોતે કૂર્મી હતા. સતારા અને ગ્વાલિયરના રાજા પણ કૂર્મીના વંશજ હતા. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં નાગ વિદર્ભ, ખાનદેશ, કોંકણ મરાઠાવાડામાં વસતા કૂર્મીઓને ‘કુનબી’, ‘કુલંબી’ કે ‘કુણબી’ ‘લેવા કણબી’- નામથી ઓળખવામાં આવે છે. ‘મરાઠા દેશમુખ પાટીલ’ તરીકે ઓળખાતા સહુ કૂર્મીઓના જ વંશજ છે.
(સંદર્ભ)
૧. “શિવાજી અને ગ્વાલિયર પર તેમજ સતારાના રાજાઓ કણબી વંશ માંથી ઉતરી આવેલા હતા” (હન્ટર્સ સ્ટેટીસ્ટીકલ એકાઉન્ટ ઓફ બેન્ગાલ-ભા-૧૧મો –અંગ્રેજ ઇતિહાસકાર )
૨. “ગ્વાલિયર ના સિંધિયા,સતારાના રાજા અને નાગપુરના ભોંસલે કણબીઓ હતા અથવા તેના જેવા હતા. મિ.કેમ્પબેલે દર્શાવ્યું છે કે મરાઠાનું મૂળ ‘કૂર્મી’ તત્વમાંથી હતું અને શિવાજી તથા તેના ઘણા સરદારો કણબી હતા” (કોર્નેગીઝ રેસીઝ ટ્રાઈલ્ઝ એન્ડ કાસ્ટસ ઓફ આઊધ-અંગ્રેજી ઈતિહાસ) તેવી જ રીતે ભારતના અલગ-અલગ પ્રાંતોમાં કૂર્મીઓની વસતી આજે પણ એટલી જ છે પરંતુ વિસ્તાર પ્રમાણે તેમની અટકો જુદી-જુદી જોવા મળે છે. પછી તે ઝારખંડ, બંગાળ, ઉત્તરપ્રદેશ, બિહાર, બુંદેલખંડ, છત્રીસગઢ, મધ્યપ્રદેશ, ઉડિસા, આસામ, આંધ્રપ્રદેશ, કર્ણાટક હોય સમગ્ર ભારત વર્ષમાં કૂર્મીઓ – કણબીઓ વસે છે. )
(પાટીદારોના ઉદભવ અને વિકાસ વિશેનો આજે પ્રસ્તુત સંશોધન લેખ શામળદાસ આર્ટ્સ કૉલેજ, એમ. કે. યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પ્રો. ડૉ. વિશ્વનાથ પટેલ દ્વારા રીડગુજરાતીને પાઠવવામાં આવ્યો હતો  એ બદલ ડૉ. પટેલનો આભાર તથા શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે vlp.india@ymail.com પર અથવા તેમના મોબાઈલ નંબર 9662549400 પર કરી શકાય છે.)

Add password and permissions to your PDF files online. It's safe, easy and free.

Wednesday, August 13, 2014

हिन्दुत्व ही विश्व को दिखाएगा शांति-प्रगति की राह - सरसंघचालक श्री मोहनराव भागवत


Pa.Pu.sarsanghchalak ji addressing the trainees in Assam Shikshavarga (OTC) 















असम में संघ शिक्षा वर्ग के समापन पर रा.स्व.संघ के सरसंघचालक श्री मोहनराव भागवत ने 
कहाहिन्दुत्व ही विश्व को दिखाएगा शांति-प्रगति की राहअसम के नगांव जिला स्थित होजाई 
में गत 12 मई को रा.स्व.संघ का संघ शिक्षा वर्ग संपन्न हो गया। वर्ग के समापन समारोह को 
संबोधित करते हुए रा.स्व.संघ के सरसंघचालक श्री मोहनराव भागवत ने एक फिर 
दोहराया कि हिन्दुत्व ही भारत तथा विश्व की सभी समस्याओं का समाधान है।श्री भागवत ने 
कहा कि संघ को ठीक प्रकार से प्रत्यक्ष अनुभव से ही समझा जा सकता है, उद्बोधनों और 
साहित्यों से नहीं। विश्व में कुछ ऐसी चीजें हैं जिनको किसी अन्य माध्यमों से नहीं समझा जा 
सकता। यह मानव स्वभाव है कि जब वह किसी अनजान चीज के बारे में जानना चाहता है तो 
वह उसकी तुलना जानी-पहचानी चीज से करता है। लोग इसी असमंजस में घिर जाते हैं
 जब वह संघ को समझने की कोशिश करते हैं। कोई संघ को नेशनल स्पोर्ट्स क्लब, कोई 
नेशनल म्यूजिक क्लब तो कोई राष्ट्रीय मार्शल आर्ट क्लब समझता है। कुछ लोग समझते हैं 
कि संघ ऐसा कोई दल है जो विभिन्न आंदोलनों में भाग लेता है।श्री भागवत ने कहा कि आज 
सब इस बात को महसूस कर रहे हैं कि अधिकतर देशों ने प्रगति के लिए जिस उपभोगवाद 
को चुना था वह मानव दुखों को दूर करने में हर तरह असफल रहा। उन्होंने कहा कि आज 
की समस्याओं की जड़ में है- आध्यात्मिकता की कमी, नैतिक चिंता की कमी और मूल्यों 
की कमी। पूरा विश्व आज भारत की ओर आशा भरी नजरों से देख रहा है। उसे लगता है कि 
भारत ही विश्व को शांति-प्रगति की राह दिखाएगा। लेकिन देश की स्थिति संतोषजनक
 नहीं है। देश की सीमाओं पर दुश्मन हैं। लोगों का स्वभाव बन गया है हर समस्या के लिए
 सरकार को दोषी ठहराना। इस सबमें हम आम राष्ट्रीय हितों पर बल देने के बजाय जाति, पंथ
 और सम्प्रदायों के नाम पर बनी दरारों को दर्शाने में लग जाते हैं। उन्होंने कहा कि सम्पूर्ण 
भारत को जो एक राष्ट्र के रूप में बांधे हुए है वह सनातन धर्म है, जोकि हिन्दुत्व के नाम से भी 
जाना जाता है।श्री भागवत ने कहा कि संघ समाज के बीच कोई दल नहीं है, यह राष्ट्र के लोगों 
की संगठित शक्ति है। उपस्थित स्वयंसेवकों और गणमान्य नागरिकों का आह्वान करते हुए उन्होंने
 कहा कि संघ पिछले 87 वर्षों से राष्ट्र निर्माण का जो कार्य कर रहा है हम उसका हिस्सा बनें।
समापन समारोह में प्रशिक्षणार्थियों ने विभिन्न प्रकार के शारीरिक कार्यक्रमों का प्रदर्शन किया।
 इस अवसर पर बड़ी संख्या में स्वयंसेवक और गणमान्य नागरिक उपस्थित थे।

Sunday, June 29, 2014

અમેરિકામાં વસવાટ કરવામાં ભારત બનશે નં.1?

અમેરિકામાં વસવાટ કરવામાં ભારત બનશે નં.1?

અમેરિકી નાગરિકત્વ પ્રાપ્ત કરનારા વિદેશીઓમાં પ્રથમ ક્રમે આવતા મેક્સિકોમાં અમેરિકા જવાનો ક્રેઝ ઘટી રહ્યો છે.
-અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરનારા દેશમાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે

એક વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મેક્સિકોથી અમેરિકા જઇને વસનારા લોકોની લહેર મંદ પડતી જાય છે. પાછલા 40 વર્ષોમાં લોકોમાં મેક્સિકોથી અમેરિકા જઇને વસવાનું ચલણ વધી રહ્યું છે. અમેરિકાના પ્યુ હિસ્પૈનિક સેન્ટરેના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષોમાં આ સંખ્યા ઘટી રહી છે.આર્થિક કારણ, સીમા પર વધી રહેલ નિયંત્રણ અને મેક્સિકોમાં ધીમા જન્મદરને આની પાછળનું કારણ જણાવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે 1970 બાદ 1.2 કરોડ લોકો મેક્સિકોથી અમેરિકા ગયા જેમાંથી અડધા ઉપરાંત લોકો કાનુની રીતે ગયા. આ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાના આટલા વર્ષોના ઇતિહાસમાં છેલ્લા ચાર દશકામાં મેક્સિકોથી અમેરિકા જતાં લોકો અવ્વલ નંબરે રહ્યા છે.

જો કે આંકડા પ્રમાણે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે 2005- 2010 દરમિયાન આ સંખ્યામાં બદલાવ આવ્યો છે.એક દાયકા પહેલા એટલે કે 1995- 2000માં લગભગ 29 લાખ મેક્સિકો વાસી અમેરિકા ગયા જ્યારે 6 લાખ 70 હજાર લોકો પાછા મેક્સિકોમાં ગયા એટલે કે લગભગ 22 લાખ લોકો અમેરિકામાં જ રહ્યા.

જ્યારે વર્ષ 2005થી 2010 સુધી જ્યાં 13.7 લાખ લોકો જ મેક્સિકોથી અમેરિકા ગયા જ્યારે 13.9 લાખ લોકો પાછા વળ્યા.

અમેરિકી જનગણનાના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2007માં જ્યાં 70 લાખ લોકો મેક્સિકોથી ગેરકાનુની રીતે અમેરિકામાં રહી રહ્યા હતા, ત્યાં વર્ષ 2011માં આ સંખ્યા ઓછી થઇને 61 લાખ જ રહી ગઇ છે. આ પાછળ નવા નિયમો અનુસાર અમેરિકાના રાજ્યોમાં ગેરકાનુની અપ્રવાસીઓ વિરુદ્ધ થતી આકરી કાર્યવાહીને જવાબદાર મનાય છે.

Sunday, May 4, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી

જીવન જીવવાની જડીબુટ્ટી,

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો 
અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું 
સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.